આત્મા ને ઓળખ્યા વિના રે – ગુજરાતી ભજન
AATMA NE OLAKHA VINA RE – GUJARATI BHAJAN
રચનાઃમીરાબાઇ
આત્મા ને ઓળખ્યા વિના રે,
લખ ચોર્યાસી નહીં રે મટે હોજી…
ભ્રમણા ને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહીં રે ટળે હોજી.
કોયલ ને કાગ રે, રંગે રૂપે એક છે… હોજી,
કોયલ એની બોલી થકી ઓળખાય… ભવના ફેરા નહીં રે ટળે
હંસલો ને બગલો રે, રંગે રૂપે એક છે…. હોજી,
હંસલો એના આહાર થકી ઓળખાય…ભવના ફેરા નહીં રે ટળે
સતી અને ગુણીકા રે, રંગે રૂપે એક છે હજી,
સતી નારી સેવા થકી ઓળખાય… ભવના ફેરા નહીં રે ટળે
ગુરુના પ્રતાપે રે બાઈ ‘મીરાં’ બોલિયા,
દેજો અમને સંત ચરણમાં વાસ રે… ભવના ફેરા નહીં રે ટળે
માંડલીકના દોહા – દુહા સાહિત્ય
SANTVANI BHAJAN PDF BOOK