આદિ અનાદિ વચન – ગુજરાતી ભજન સંગ્રહ
AADI ANADI VACHAN – GANGASATI NU BHAJAN
આદિ અનાદિ વચન પરિપૂરણ પાનબાઈ વચનથી વધે નહીં બીજું કાંઈ,
કરમને કારણે એને કાંઈ નડે નહીં જેમ કરવું હોય તેમ થાય…આદિ અનાદિ વચન…
પગલું ભરે ત્યાં વચન તપાસે ને થઈને રહે ગુરુજીના દાસ,
આઠે પહોર મન મસ્ત થઈ રહે વે કરે નહીં કોઈની આશ…આદિ અનાદિ વચન…
જનક રાજા એક દિ વચન ભૂલી ગ્યા’તા દીધો જઈ પેઘડે પાવ,
એક વરસ સુધી એમ જ ઉભા’તા પછી વધ્યો વચનમાં ભાવ…આદિ અનાદિ વચન…
દેહ હોવા છતાં વૈદેહી કેવાણાં ને એવો છે વચનનો પ્રતાપ,
ગંગાસતી એમ બોલિયા પાનબાઈ એને નડે નહીં ત્રીવિધિના તાપ…આદિ અનાદિ વચન…