આ ભજન ટેલવા ભગતે લખ્યું છે જેમાં ગુરૂનો પુરણ મહીમા બતાવવામાં આવ્યો છે.તેમણે કહ્યુ છે આ ભજન થકી કે આપણે સદગુરૂ ઉપર વિશ્વાસ રાખવો જોઇએ.કારણકે તે આપણેને આ ભવસાગરમાંથી સાચો રસ્તો બતાવે છે.તેમણે ગોવિંદ કરતાં ગુરૂને ચડીયાતા બતાવ્યા છે.ગુરૂ વિના આ જગતમાં મનુષ્યનો ઉદ્ધાર થઇ શકતો જ નથી.
મન તું નક્કી કરી લે વિશ્વાસા,
તારી પુરણ કરેગી સબ આશા,
હૈ સદગુરૂ સાચા …. (1)
રખે ભરોસા ગાય ઔર ભેંસ કા,
ઉનકી કરે બરદાસા,
નહી ભરોસા ગુરુ ગોવિંદ કા,
કૈસા અજબ તમાશા,
હૈ સદગુરૂ સાચા …. (2)
નરસિંહ મહેતાએ નજરે નિહાળ્યા,
પરચા પુર્યા પચ્ચીસ પચાસા,
તોય નાગરોની નાતને નક્કી થયું નહી,
દુભાવ્યા હરી કેરા દાસા,
હૈ સદગુરૂ સાચા ….. (3)
ગોવિંદ કરતાં ગુરૂ અધિક છે,
વેદના પ્રગટે પ્રકાશા,
કૃષ્ણ રૂક્ષ્મણી રથમાં જુત્યા,
અંદર બેઠા દુરવાસા,
હૈ સદગુરૂ સાચા ….. (4)
નુગરા નર હવે નરકે લઇ જાશે,
લઇ જાશે જમડાં કેરી ફાંસી,
ગુરુ પ્રતાપે ગાય ટેલવો,
આ તો પ્રેમ ભક્તિના પ્યાસા ,
હૈ સદગુરૂ સાચા …. (5)
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…