JA NIDRA- BEST GUJARATI BHAJAN LYRICS
PRABHATIYU-BHAJAN -13-JA NIDRA HU TANE
JA NIDRA HU TANE VARU,
TU CHHE NAR DHUTARI RE …..(2)
NIDRA KAHE NAHI RE HU DHUTARI,
HU CHHU SHANKAR GHER NARI,(2)
PASHU PANKHI NE SUKHADA APU,
DUKHADA MELU RE VISARI RE….. HU…(1)
EK SAMAY RAM VAN MA PADHARYA,
LAXMAN NE NIDARA AVI RE.(2)
SITA SATI NE KALANK LAGAVYU,
BHAYU MA BHRANT PADAVI RE….. HU…(2)
JOGI LUTYA BHOGI LUTYA,
LUTYA TE NEJADHARI RE..(2)
EKAL SAGU NE VAN MA LUTYA,
KYA KJE SANSDARI RE …… HU…(3)
PAHELA PAHORE ROGI JAGE,
BIJA PAHERE BHOGI RE;.(2)
TIRJA PAHORE TASKAR JAGE,
CHOTHA PAHORE JOGI RE…. HU…(4)
BAR BAR VARAS LAKHMANE TYAGI,
KUBHKARNE LAD LADAVI RE..(2)
BHALE MALYA MAHETA NARSAIYA NA SVAMI,
ASHA PURO NE MORARI RE..JA JA NIDRA HU…(5)
જા જા નિદ્રા હું તને વારું —ભજન (પ્રભાતિયું) -13-JA NIDRA
જા જા નિંદરા હું તુંને વારું
તું છો નાર ધુતારી રે….(2)
નિદ્રા કહે નહી રે હું ધુતારી,
હું છું શંકર ઘેર નારી રે.(2)
પશુ-પંખીને સુખડાં આપું,
દુખડા મેલું વિસારી રે…… જા જા નિંદરા…(1)
એક સમય રામ વનમાં પધાર્યા ,
લક્ષ્મણને નિંદરા આવી રે..(2)
સતી સીતાને કલંક લાગાવ્યું,
ભાયુમાં ભ્રાંત પડાવી રે..જા જા નિંદરા….(2)
જોગી લુટ્યા,ભોગી લુટ્યાં,
લુટ્યાં તે નેઝાધારી રે ..(2)
એકલ સગુને વનમાં લુટ્યાં,
કયા કરે સંસારી રે….જા જા નિંદરા….(3)
પહેલા પહોરે રોગી જાગે,
બીજા પહોરે ભોગી રે..(2)
ત્રીજા પહોરે તસ્કર જાગે,
ચોથા પહોરે જોગી રે..જા જા નિંદરા….(4)
બાર બાર વરસ લખમણે ત્યાગી,
કુંભકર્ણે લાડ લડાવી રે..
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
નિંદરા કરોના કોઈ વ્હાલી રે..જા જા નિંદરા…. (5)
જા જા નિંદરા હું તુંને વારું
તું છો નાર ધુતારી રે….(2)
નરસિંહ મહેતા રચિત પ્રભાતિયું-જેમાં નિંદ્રા એટલે કે ઉંધ વિશે વાત કરવામાં આવી છે.નિદ્રા માણસને કેવી રીતે હરાવે છે તેની વાત કરી છે.