MAMATA MARE NAHI ENU MARE – ભક્ત કવિ મમદશા દ્વારા રચાયેલું આ ભજન છે,જેમાં કાજી મમદશા મમતાને જીવનમાં જે રીતે વ્યાપી ગયેલી બતાવે છે,કે માનવનાં મનમાંથી કદી મમત્વ છુટતું નથી.એટલે કે મમતા મરતી નથી,અને એટલે હંમેશા મન કોઇ જગ્યાએ સ્થિર રહી શકતું નથી.અંહિ ભક્ત કવિ ઘણાં બધા ઉદાહરણો આપણી સામે મુકે છે.જેમકે રાજા,પંડિત,છીપ તેમજ જોગી વગેરે થકી એ સુચવે છે કે તમે ગમે તે જગ્યા પર હોવ પણ જો મન સ્થિર ન બને તો કશું જીવનમાં પ્રાપ્ત થઇ શકતું નથી.
મમતા મરે નહીં એનું મારે શું કરવું,
વ્હાલો મારો દિનનો દયાળ,
મનને ચડાવ્યું એને ચાકડે,
આવે નહીં ઉતરવાનો પાર ….. ટેક
એવું રાજાનું સ્વરૂપ ધરી મેં તો જોઇ લીધું,
ધનનો નહીં આવે પાર,
એટલે ધને મન મારું ના ઠર્યું,
લુટાયો મેં તો સઘળો સંસાર ….. મમતા મરે નહી ….
પંડિત બનીને મેં તો જોઇ લીધું,
વાંચ્યા કાંય વેદને પુરાણ,
એટલી વિદ્યાથી મન મારું ના ઠર્યુ,
કીધા કાંય પેટ કાજે પાપ ….. મમતા મરે નહી ….
છીપનું સ્વરૂપ ધરી મેં તો જોઇ લીધું,
કીધો મેં તો મધ દરીયે વાસ,
એટલે જળે રે મન મારું ના ઠર્યુ,
રહી ગઇ સ્વાતિ બિંદુની આશ ….. મમતા મરે નહી ….
જોગીનું સ્વરૂપ ધરી મેં તો જોઇ લીધું,
લીધો કાંય ભગવો જો ને ભેખ,
હાથમાં ખપ્પરને કાંધે જોળી રે ધર્યા,
ફર્યા કાંય દેશને વિદેશ …… મમતા મરે નહી …..
પંડિત ભુલ્યા રે પોથી વાંચતા,
કાજી ભુલ્યા રે કુરાન,
કાજી મમદશાની વિનંતી રે,
સુણી લ્યોને ગરીબે નવાઝ ….. મમતા મરે નહી ….
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો ….
LAL CHUDE VALI MAIYA – લાલ ચુડે વાલી મૈયા
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…