SUKH MA VISARU TANE-આ ભજન સંત શ્રી પુનિત મહારાજ દ્વારા રચાયેલું છે.જેમાં માનવ સ્વભાવની એક આગવી ઝલક રજુ કરવામાં આવી છે. કે જ્યારે માણસ પાસે સુખ સાયબી હોય છે ત્યારે તેને ઇશ્વર યાદ નથી આવતો.બસ તેનાં ખુમારમાં એ અભિમાનમાં રાચતો હોય છે.પણ જેવું દુઃખ પડે એટલે બસ પ્રભુની પાછળ પડી જાય છે.હે ભગવાન મને આમાંથી ઉગાર.મને બચાવ.માણસ પાસે પૈસા હોય ત્યારે ખુબ અભિમાન આવી જાય છે.યૌવન હોય ત્યારે પાપ કરતાં પાછુ વાળું નથી જોતો.કોઇ બે-ત્રણ સાથીનો સંગાથ હોય ત્યારે ફુલો ફુલાતો નથી ,પણ જેવી તકલીફ પડવાની શરૂઆત થાય એટલે તરતજ ધ્યાન ભગવાન તરફ જાય છે.
સુંખમાં વિસરૂ તને,દુઃખમાં હું યાદ કરૂં,
જ્યારે મુશ્કેલી આવી પડે,ત્યારે તને યાદ કરૂ …… ટેક
મુડી હોય જ્યારે બે પૈસાની,
બની જાવું ત્યારે બહુ અભિમાની,
જ્યારે ખાવાનાં સાંસા પડે,
ત્યારે તને યાદ કરૂં …… સુખમાં વિસરૂં તને …..
યૌવન જ્યારે અંગે છલકે,
પાપ કરતાં તારું મુખડુ મલકે,
જ્યારે કાયામાં કીડા પડે,
ત્યારે તને યાદ કરૂં ……… સુખમાં વિસરૂં તને …..
સાથે હોય જ્યારે બે સંગાથી,
ગજ ગજ ફુલે છાતી મારી,
જ્યારે એકલડા મરવું પડે,
ત્યારે તને યાદ કરૂં ……. સુખમાં વિસરૂં તને ……
માત- પિતા સુત બાંધવ તારા,
અંત સમયે કોઇ નહીં થનારા,
પુનિત જ્યારે કાનમાં શબ્દો પડે,
ત્યારે તને યાદ કરૂં …… સુખમાં વિસરૂં તને …..
MANAV NADE CHHE – માનવ નડે છે માનવીને
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…