VIDHI NA LAKHIYA LEKH આ ભજનમાં કવિ મનુષ્યનાં ભાગ્યની વાત આપણી સામે મુકે છે,વિધિ એટલે કે વિધાતા. વિધાતા દ્વારા આપણાં લેખ જે રીતે લખાય ગયાં હોય તે ક્યારેય મિથ્યા થતાં જ નથી,એવું આ ભજન દ્વારા માનવ સમાજને કહેવામાં આવ્યું છે.અંહિ કવિએ શ્રવણનો પ્રસંગ લઇને બોધ આપવાનું કામ કર્યું છે.તેમણે જે રીતે દશરથ રાજાનાં હાથે અજાણતાં શ્રવણનો વધ થાય અને પછી તેના માતા -પિતા રાજા દશરથને શ્રાપ આપે છે અને તે શ્રાપનું પરીણામ દશરથ રાજાએ ભોગવવું પડે છે. આ પ્રસંગ દ્વારા કવિ સિદ્ધ કરી બતાવે છે કે આપણાં કરમમાં લખાયેલાં લેખ કોઇ મિથ્યા કરી શકતું નથી.
વિધિના લખિયા લેખ લલાટે,
સાચા થાય થાય થાય ….. ટેક
શ્રવણ કાવડ લઇને ફરતો,
સેવા માત-પિતાની કરતો,
તીરથે તીરથે ડગલાં ભરતો,
ચાલ્યો જાય જાય જાય ….વિધિના લખિયા …. (1)
શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,
સેવા માત પિતાની કરવા,
ઘડુલો ભરતા મૃગલા જેવા,
શબ્દો થાય થાય થાય ….. વિધિના લખિયા ….. (2)
દશરથ મૃગલા રમવાને આવે,
શબ્દ સુણીને બાણ ચલાવે,
એ બાણે શ્રવણનો જીવ છોડી ,
ચાલ્યો જાય જાય જાય…. વિધિનાં લખિયા …. (3)
અંધા માત પિતા ટળવળતા,
દીધો શ્રાપ જ મરતાં મરતાં,
દશરથ પુત્ર વિયોગે મરતાં,
કરતા હાય હાય હાય ….. વિધિના લખિયા …. (4)
જ્યારે રામજી વન સંચરીયા,
દશરથ પુત્ર વિયોગે મરીયા,
અમૃત કહે છે દુઃખના દરીયા,
ઉભરાય જાય જાય જાય …. વિધિના લખિયા …. (5)
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…